WHO Guidance for Coronavirus (World Health Organization)

કોરોના-વાઇરસ વિષેની કેટલીક માહિતી વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશન તરફથી (Guidance for Coronavirus from World Health Organization)

આ લેખમાંની તમામ images તમે કોઈને પણ share કરી શકો છો.


1) માસ્ક ક્યારે પહેરવું?

When to use a Mask

તંદુરસ્ત લોકોએ તો જ માસ્ક પહેરવાની જરૂર છે જો તમે કોઈ શંકાસ્પદ 2019-nCoV ચેપગ્રસ્ત વ્યક્તિની સંભાળ લઈ રહ્યા છો.

જો તમને ઉધરસ કે છિંકો આવી રહી છે તો માસ્ક પહેરો.

માસ્ક તો જ અસરકારક છે જો આલ્કોહોલ આધારિત હેન્ડ રબ અથવા સાબુ અને પાણી થી હાથ સાફ કરવાની વારંવાર થતી પ્રક્રિયાની સાથે વાપરવામાં આવે.

જો તમે માસ્ક પહેરો છો તો તમારે તેનો ઉપયોગ કેવી રીતે કરવો અને તેનો યોગ્ય રીતે નિકાલ કેમ કરવો તે જાણવું જરૂરી છે. જે WHO ની website https://www.who.int/ ઉપર જઈને જોઈ શકો છો.


2) ભ્રમ તોડો સત્ય જાણો - 1

Myth Buster - 1
આજની તારીખમાં, નવા કોરોનાવાયરસને રોકવા અથવા તેની સારવાર માટે કોઈ વિશિષ્ટ દવાની ભલામણ કરવામાં આવી નથી.

જો કે, સંક્રમિત વ્યક્તિને આ વાયરસના લક્ષણોથી છૂટકારો મેળવવા અને લક્ષણો સામે સારવાર મેળવવા યોગ્ય કાળજી અપાવી જરૂરી છે, અને ગંભીર રીતે બીમાર વ્યક્તિઓને ઉત્તમ સહાયક સંભાળ પ્રાપ્ત થવી જરૂરી છે.

કેટલીક વિશિષ્ટ સારવારની તપાસ ચાલી રહી છે, અને ક્લિનિકલ ટ્રાયલ્સ દ્વારા તેનું પરીક્ષણ કરવામાં આવશે.

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશન વિવિધ ભાગીદારો સાથે સંશોધનના પ્રયત્નોને વેગ આપવા મદદ કરી રહ્યું છે.


3) ભ્રમ તોડો સત્ય જાણો - 2

Myth Buster - 2

અત્યાર સુધીના પુરાવા પરથી, કોરોનાવાયરસ ગરમ અને ભેજયુક્ત વાતાવરણવાળા વિસ્તારો સહિત તમામ વિસ્તારોમાં ફેલાઈ શકે છે.

આબોહવાને ધ્યાનમાં લીધા વિના, તમે જ્યાં રહો છો અથવા જ્યાં મુસાફરી કરવા જઈ રહ્યા છો, ત્યાં જો COVID-19 ના અહેવાલ પ્રાપ્ત છે તો રક્ષણાત્મક પગલાં અપનાવો.

કોવિડ -19 સામે તમારી જાતને બચાવવા માટેનો શ્રેષ્ઠ માર્ગ એજ છે કે વારંવાર તમારા હાથ સાફ કરો. તમારા હાથ પર હોઈ શકે તેવા વાયરસને વારંવાર હાથ સાફ કરીને દૂર કરો અને વારંવાર તમારી આંખો, મોં અને નાકને સ્પર્શ કરવાથી થઈ શકતા ચેપને ટાળો.


4) ભ્રમ તોડો સત્ય જાણો - 3

Myth Buster - 3

એવું માનવાનું કોઈ કારણ નથી કે ઠંડી આબોહવા કોરોનાવાયરસ અથવા અન્ય કોઈ રોગોને મ્હાત કરી શકે છે.

બાહરી તાપમાન અને વાતાવરણ ગમે તે હોય પણ માનવ શરીરનું સામાન્ય તાપમાન લગભગ 36.5°C અને 37°C ની વચ્ચે રહે છે.

કોરોનાવાયરસથી પોતાને બચાવવા માટેનો સૌથી અસરકારક રસ્તો એ છે કે તમારા હાથને આલ્કોહોલ આધારિત હેન્ડ રબ અથવા સાબુ અને પાણીથી વારંવાર સાફ કરવા.

5) ભ્રમ તોડો સત્ય જાણો - 4

Myth Buster - 4
ન્યુમોનિયા સામેની રસીઓ, જેમ કે PNEUMOCOCCAL રસી અને HEEMOPHILUS INFLUENZA TYPE B (Hib) રસી, નવા કોરોનાવાયરસ સામે રક્ષણ પૂરું પાડતી નથી.

વાયરસ એટલો નવો અને અલગ છે કે તેને તેની પોતાની રસીની જરૂર છે. સંશોધનકારો 2019-nCoV સામે રસી વિકસાવવા પ્રયાસ કરી રહ્યા છે, અને WHO તેમના પ્રયત્નોને સમર્થન આપી રહ્યા છે.

જો કે આ રસીઓ 2019-nCoV સામે અસરકારક નથી, તેમ છતાં, તમારી હેલ્થને સુરક્ષિત રાખવા માટે શ્વસન બિમારી સામે રસીકરણની ખૂબ ભલામણ કરવામાં આવે છે.


6) ભ્રમ તોડો સત્ય જાણો - 5

Myth Buster - 5
લસણ એ આરોગ્યપ્રદ ખોરાક છે જેમાં કેટલાક એન્ટિમાઇક્રોબાયલ ગુણ હોઈ શકે છે. જો કે, હાલના આ ફાટી નીકળેલ ઉત્પાતમાં એવા કોઈ પુરાવા નથી કે લસણનું સેવન લોકોને નવા કોરોનાવાયરસ (2019-nCoV)થી સુરક્ષિત રાખે છે.


7) ભ્રમ તોડો સત્ય જાણો - 6

Myth Buster - 6
તેવાં કોઈ પુરાવા નથી કે નાકને salineથી નિયમિતપણે ધોવું એ લોકોને કોરોનાવાયરસના ચેપથી રક્ષણ આપે છે.

કેટલાક મર્યાદિત પુરાવા છે કે નિયમિતપણે saline વડે નાકને ધોવાથી લોકો સામાન્ય શરદીમાંથી વધુ ઝડપથી સ્વસ્થ થઈ શકે છે. જો કે, શ્વસન ચેપને રોકવા માટે નિયમિતપણે નાકને ધોયા કરવું તે નિર્દિષ્ટ કરવામાં આવેલ નથી.


8) ભ્રમ તોડો સત્ય જાણો - 7

Myth Buster - 7
ગરમ સ્નાન લેવું એ તમને COVID-19ની પકડ કરતા અટકાવશે નહીં. તમારા સ્નાન અથવા શાવરનું તાપમાન ગમે તે હોય પણ તમારું શરીરનું સામાન્ય તાપમાન લગભગ 36.5°C અને 37°C ની વચ્ચે રહે છે. ખરેખર, ખૂબ ગરમ પાણીથી ગરમ સ્નાન કરવું તમારા માટે નુકસાનકારક હોઈ શકે છે, કારણ કે તે તમને દઝાડી શકે છે.

કોવિડ -19 સામે તમારી જાતને બચાવવા માટેનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે વારંવાર તમારા હાથ સાફ કરો. આમ કરવાથી તમે તમારા હાથ પરના વાયરસને દૂર કરો છો અને પછી તમારી આંખો, મોં અને નાકને સ્પર્શ કરવાથી થતા ચેપને ટાળો છો.


9) ભ્રમ તોડો સત્ય જાણો - 8

Myth Buster - 8
આજની તારીખમાં કોઈ માહિતી અથવા પુરાવા નથી જે સૂચવે છે કે કોરોનાવાયરસ મચ્છર દ્વારા ફેલાય છે.

કોરોનાવાયરસ એ શ્વસનને  લગતો વાયરસ છે જે મુખ્યત્વે ચેપગ્રસ્ત વ્યક્તિના ખાંસવાથી અથવા છીંકવાથી અથવા લાળના ટીપાં (છાંટા) દ્વારા અથવા નાકમાં પેદા થતાં સ્રાવના ટીપાં (છાંટા) દ્વારા ફેલાય છે.

પોતાને બચાવવા માટે, આલ્કોહોલ આધારિત હેન્ડ રબથી વારંવાર તમારા હાથ સાફ કરો અથવા સાબુ અને પાણીથી તમારા હાથ ધોતા રહો. ઉપરાંત, જેમને ખાંસી અને છીંક આવે છે તેમની સાથે નજીકના સંપર્કને ટાળો (તેમની નજીક ના જાઓ).


10) ભ્રમ તોડો સત્ય જાણો - 9

Myth Buster - 9

તમામ ઉંમરના લોકોને કોરોનાવાયરસનો ચેપ લાગી શકે છે (nCoV-2019).

વૃદ્ધ લોકો અને પહેલેથીજ તબીબી બીમારી (જેમકે આસ્થમા, ડાયાબીટીસ, હૃદયની બીમારી)ની સારવાર લઈ રહેલ લોકોનું આ વાયરસથી ગંભીર રીતે બીમાર પડવું એ વધુ શક્ય હોય છે. WHO તમામ વયના લોકોને વાયરસથી બચાવવા માટેના પગલા ભરવાની સલાહ આપે છે, ઉદાહરણ તરીકે હાથની અને શ્વસનની સારી સ્વચ્છતાને અનુસરીને.


11) ભ્રમ તોડો સત્ય જાણો - 10

Myth Buster - 10
એનિબાયોટિક્સ વાયરસની સામે કામ કરતું નથી, ફક્ત બેક્ટેરિયા સામે કરે છે.

કોરોનાવાયરસ (2019-nCoV) એ એક વાયરસ છે અને તેથી, એન્ટિબાયોટિક્સનો ઉપયોગ આ વાયરસને અટકાવવાના અથવા તેના ઉપચારના સાધન તરીકે થવો જોઈએ નહીં.

જો કે, જો તમને 2019-nCoV માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે, તો બેક્ટેરિયલ કો-ઇન્ફેક્શન ને ધ્યાનમાં રાખીને તમને એન્ટીબાયોટીક્સ આપવામાં આવી શકે છે.

12) ભ્રમ તોડો સત્ય જાણો - 11

Myth Buster - 11
કોરોનાવાયરસના ચેપને કારણે તાવ આવનાર લોકોને શોધવા માટે થર્મલ સ્કેનર અસરકારક છે.

જો કે, થર્મલ સ્કેનર એવા લોકોને શોધી શકતા નથી કે જેઓ ચેપગ્રસ્ત છે પણ જો તેમને તાવ આવતો નથી. આ એટલા માટે કે આ વાયરસથી ચેપગ્રસ્ત લોકો ને ચેપ લાગ્યા પછી તાવ આવતા/ચડતા 2 થી 10 દિવસ લાગે છે.

Hope this will be informative for all of us.

Try to be healthy and be positive in such situation.

Comments

Post a Comment